મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા મિશન નવ ભારતના જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુકલના જન્મ દિવસ નિમિતે મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કારધામ ઈમેજિન સેન્ટર ખાતે યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કાંઝારીયા તેમજ ભૂપતભાઇ જારીયા, મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા,  મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ કાંતિભાઈ અમૃતિયા, સ્મિતભાઈ દેસાઇ અને મહેશભાઇ કટેશિયા સહિતના હોદેદારો તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને મોરબી પાલિકના માજી સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં કુલ મળીને 125 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.આ તકે મોરબી શહેર ભાજપ મહામંત્રી ભુપતભાઈ જારીયાએ તેમના પુત્ર સાથે રક્તદાન કર્યું હતું.






Latest News