સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ


SHARE











મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ

મોરબીમાં જમીનનું બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા દાવો કરવામાં આવેલ હતો જે દાવો કોર્ટે કાઢી નાખેલ હતો ત્યાર બાદ વાદીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપિલ કરી હતી જેની સામે પ્રતિવાદીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે અપિલ પણ રદ કરી નાખેલ છે

મોરબીના વજેપર ના સર્વે નં.-૧૦૫૩ પૈકીની ખેતીની જમીન હે.આરે.ચો.મી.૯૧ પૈકી ની ૨૦% ની જમીન ભગવાનજી રામજીભાઈ ડાભી પાસેથી અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા મોરબીની કોર્ટમાં દી.કેશ.નં. ૬૦/૧૫ થી દાવો કરેલ હતો આ દાવો વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની બેદરકારીના કારણે દાવો કોર્ટે કાઢી નાખેલ (ડી.ડી.કરેલ) જેથી વાદીએ કોર્ટ સમક્ષ તે જ દાવો રીસ્ટોર કરવા માટે દિ.૫.અ.નં. ૩૪/૧૮ થી ફરી દાવો બોર્ડ પર લઈ ચલાવવા માટે અરજી કરેલ હતી પરંતુ તે અરજી પણ રદ કરેલ હતી જેની સામે અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દિ.૫.અપિલ નં.૦૭/૨૦૧૯ થી અપિલ દાખલ કરેલ હતી અને આ અપિલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી એપેલેન્ટ પોતાનો દાવો રીસ્ટોર કરવાની અપિલ પુરવાર કરવામાં નિષ્ફળ જતા વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની અપિલ પણ રદ કરી નાખેલ છે અને ભગવાનજીભાઈ રામજીભાઈ ડાભી તેમજ અશોકભાઈ બાબુભાઈ ભિમાણી વિગેરે-૭ પ્રતિવાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકની દલીલને ધ્યાને લઈ તેમની તરફેણમાં ચુકાદો આપેલ છે. આ કેસમાં પ્રતિવાદીના પક્ષે વકીલ નિકુંજભાઈ કોટક તથા હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, અશોકભાઈ દામાણી તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.






Latest News