મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE















વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા સમયે છત ઉપરથી નીચે ટકાતા માથાના ભાગે તથા છાતીએ ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગીરના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ ખાતે રહેતા રણજીતભાઈ જયંતીભાઈ સોંદરવા (30) નામનો યુવાન ગત તા. 19/4 ના રોજ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે છત ઉપરથી નીચે ટકાતા તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્મૃતના બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મેનેક્સ કમ્પોઝાઈટ એલએલપી નામના કારખાનામાં રહેતા મૂળ યુપીના રહેવાસી શ્યામસિંગ રાજારામ યાદવ (40)ને ગત તા. 1/ 5/25 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને કુવાડવા પાસે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News