મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા


SHARE











માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા

માળીયા નજીક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી જે બંને ગાડીમાંથી કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા તેને બચાવી લેવામાં આવેલ છે અને કુલ મળીને ચાર શખ્સો સહિતનો મુદામાલ પોલીસને સોંપીને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,  અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત રાજ્યના હોદેદારોને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી જુદીજુદી બે બોલેરો ગાડીમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જઈ રહ્યા છે અને માળીયા  થઈને પીપળીયા ચાર રસ્તા બાજુ તે વાહનો જવાના છે જેથી કરીને માળીયા નજીક ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી તેવામાં કચ્છ બાજુથી ગાડી નંબર જીજે 12 બીઝેડ 4224 અને બીજી ગાડી નંબર જીજે 12 બીવાય 6313 નીકળી રહી હતી તે બંને ગાડીનો પૂછો કરીને માળીયા નજીક ચાર રસ્તા પાસે ગાડીઓને રોકી હતી અને તેને ચેક કરી હતી ત્યારે એક ગાડીમાંથી ભેંસના 17 પાડા અને બીજી ગાડીમાંથી 4 આમ કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને અબોલજીવોને વાહનોમાં કચ્છના નખત્રાણા બાજુથી ભરેલા હતા આ તમામ જીવોને હાલમાં માળીયા તાલુકાનાં ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળમાં  મૂકવામાં આવેલ છે. હાલમાં બંને ગાડીના ડ્રાઈવર સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગૌરક્ષક દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉલેખનીય છેકે,અબોલજીવોને કતલખાને જતાં અટકાવવા માટે ગૌરક્ષકો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માળીયા તાલુકાનાં પીઆઇ તેમજ સ્ટાફ દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે તેવું કમલેશભાઈ બોરિચાએ જણાવ્યુ હતું અને આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીમડી અને ચોટીલાના ગૌરક્ષકભાઈઓનો સહકાર મળ્યો હતો.






Latest News