મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શ્રીઆદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી સાદગીથી ઉજવાઇ


SHARE













મોરબીમાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શ્રીઆદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી સાદગીથી ઉજવાઇ

સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રેરિત અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ મોરબી અને સ્વયંભૂશ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીર મહંત પરિવાર તથા શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી જો કે તે પહેલા પહેલગામના મૃતકોના આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યાર બાદ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની મૂર્તિનું રાજો પ્રચાર પૂજન અને સમૂહ આરતી કરવામાં આવી હતી વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીની શોભાયાત્રા તથા મહાપ્રસાદના કાર્યક્રમો પહેલગામમાં બનેલ બનાવને અનુસંધાને રાષ્ટ્રહિતમાં બંધ રાખવામા આવ્યા હતા આ તકે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી જિલ્લાના ટ્રસ્ટી અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરીબાપુ તથા મહંત નિલેશગીરીબાપુ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાન મહિપત પૂરીજી તેમજ અશોકભાઈ કડીવાર, અનિલભાઈ વાઘેલા, ગીરીશભાઈ મકવાણા, વાલાભા જામંગ, અશોકભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા.






Latest News