મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

નાનીબરાર તાલુકા શાળાના વિધાર્થીઓનો જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ


SHARE











નાનીબરાર તાલુકા શાળાના વિધાર્થીઓનો જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. આ સાથે જ પરીક્ષા આપેલ 10 વિધાર્થીઓ પૈકી 5 વિધાર્થીઓ ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા સુહાના, નેરા મુસ્કાન અને ટોરિયા કરણ એ આજરોજ જાહેર થયેલ કામચલાઉ મેરીટ યાદીમાં સ્થાન મેળવેલ છે. આ વિધાર્થીઓને ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન 90,000 જેટલી શિષ્યવૃતિ મળવા પાત્ર છે. જે બદલ શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા, અલ્પેશભાઈ મોવાલિયા,ચિરાગભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર તરફથી બધા વિધાર્થીઓ અને એમના માર્ગદર્શક શિક્ષક એવા રાકેશભાઈ ફેફરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




Latest News