મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી


SHARE











વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિક્ટરની ચોરી

વાંકાનેરના ધમલપર ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કેપેસીટર બેન્કના એક રિક્ટરની ચોરી કરવામાં આવેલ છે અને તેનો વજન 300 કિલો તેમજ કિંમત 50,000 રૂપિયા થાય છે જેથી કરીને હાલમાં વીજ કંપનીના સ્ટાફ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ પુષ્કરધામ એવન્યુ-2 નાગબાઈ મંદિર પાસે રહેતા નિકુંજભાઈ ભવનભાઈ રામાણી (36)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ધમલપર ગામ પાસે 220 કેવી વાંકાનેર સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેપેસીટર બેંકના એક રિક્ટરની ચોરી કરવામાં આવેલ છે જેનું વજન 300 કિલો અને કિંમત 50,000 રૂપિયા થાય છે જેથી હાલમાં વીજ કંપનીના સ્ટાફે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના નવલખી રોડ સર્વોદય સોસાયટી વિસ્તારમાં રહેતા રવિદાન મારૂભાઈ ગઢવી નામના ૫૦ વર્ષના આધેડ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હોય સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી સામાકાંઠે ઇન્દિરાનગરમાં રહેતા વિનોદભાઈ મેર નામના ૩૫ વર્ષના યુવાનને અર્ધબેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના અમરાપર નદી ગામે રહેતા ભાવનાબેન ભરતભાઈ નામના ૩૧ વર્ષીય મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.તેઓ બાઈકમાં બેસીને અમરાપર ગામે હનુમાન મંદિર પાસેથી જતા હતા ત્યાં બાઈક સ્લીપ થવાના બનેલા બનાવમાં તેમને ઇજા થઈ હોય સારવારમાં લઈ જવાયા હતા.






Latest News