મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો


SHARE













વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો

વાંકાનેરમાં દુકાન ભાડે આપેલ હતી જેને ભાડુત બંધ અને પડતર હાલતમાં રાખતા દુકાનના માલિકે કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે દુકાનદારની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી

વાંકાનેરના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયાએ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડે આપેલ હતી અને ભાડુદુકાનને બંધ અને પડતર હાલતમાં રાખતા હતા જેથી દુકાનનો ખાલી કબ્જો મેળવવા દુકાનદારે ભાડુઆત અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેરની કોર્ટમાં રે. દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કર્યો હતો. આ દાવો વાંકાનેર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલતમાં રાખતા હોય દુકાનના કાયમી સ્વરૂપના દુકાનમાં ફેરફાર કરેલ છે. તે મુદો કોર્ટે માન્ય રાખેલ નથી અને પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈને દુકાન ખાલી કરવા માટે કોર્ટે હુકમ કરેલ નથી. આમ કોર્ટના જજ એસ.કે.પટેલ સાહેબ દ્વારા વાદીની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી આ કેસમાં પ્રતિવાદી પક્ષે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક અને તેમની સાથે હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી.ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.






Latest News