મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતા સમ્બિતા પાત્રા સામે ફરીયાદ નોંધવાની કરાઇ માંગ
SHARE








મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતા સમ્બિતા પાત્રા સામે ફરીયાદ નોંધવાની કરાઇ માંગ
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સમ્બિતા પાત્રાએ કોંગ્રેસ નેતા સામે અપમાનજનક ટિપ્પણી કરી હોવાના આરોપ સાથે મોરબી એ ડિવિઝન પીઆઈને ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી આપેલ છે. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, તાલુકો કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઈ ફેફર, ચિરાગભાઈ કારીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, બાબુભાઇ, ભાવેશભાઇ ભટ્ટ, પરેશભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને જે અરજી આપવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે, સમ્બિતા પાત્રાએ તા. ૧૭/૪ ના રોજ મિડીયા સમક્ષ કોંગ્રેસના આગેવાન અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા તેમના માતા સોનીયા ગાંધી વિરૂધ્ધ જાહેર નિવેદન આપતા કહ્યું હતુ કે, રાહુલ ગાંધી તથા સોનીયા ગાંધી “ડકેતી તથા ડાકુ છે.” આવા વાક્ય પ્રયોગ કરી હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશિયલ મીડીયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. જેથી ભાજપના નેતા દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રખમાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવાના ઉદેશયથી નિવેદન આપવામાં આવ્યુ છે માટે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે.

