હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

આમરણ ખાતે ડૉ.હેડગેવાર  સ્મારક સમિતિ દ્વારા મેડિકલ સાધન સહાય સેવા કેન્દ્રનો શુભારંભ


SHARE











આમરણ ખાતે ડૉ.હેડગેવાર  સ્મારક સમિતિ દ્વારા મેડિકલ સાધન સહાય સેવા કેન્દ્રનો શુભારંભ

સેવા હૈ યજ્ઞ કુંડ સમીધા સમ હમ જલે... પંક્તિને ચરિતાર્થ કરતાં ડૉ હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આમરણ ખાતે મહર્ષિ સુશ્રુત મેડિકલ સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સમાજના આગેવાનો સમક્ષ વિપુલભાઈ દ્વારા સેવા એ આપણી સંસ્કૃતિનો પ્રાણ છે. સેવાએ આપણા લોકોના સ્વભાવમાં વણાયેલા સંસ્કારો છે તે બાબતે વિવિધ ઉદાહરણો આપી વાતચીત કરવામાં આવી હતી. આસપાસના લોકોને જ્યારે મેડિકલ સાધનોની જરૂર પડે તો મોરબી સુધી આવવુ પડતુંહવે આ સેવા કેન્દ્રની શરૂઆત થતાં આમરણ તેમજ આસપાસના ગામના ઘણાબધા સેવિતજનોને આ સેવાનો અમૂલ્ય લાભ મળશે. મેડિકલ સાધનોના દાતા સ્વ. રજનીકાંત હસમુખભાઈ ગાંભવાની સ્મૃતિમાં  હસમુખભાઈ ગાંભવા અને પરિવાર દ્વારા આ મેડિકલ સાધનોનું દાન આ મેડિકલ સહાય સાધન કેન્દ્રને કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે દાતા  હસમુખભાઈ ગાંભવારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારામોરબી જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઈ પટેલમાળિયા તાલુકા કાર્યવાહ હિતેશભાઈ ગોપાણી તેમજ માળિયા તાલુકા સેવા પ્રમુખ જયેશભાઈ ચોટલિયા તેમજ આમરણ ગામ અને આસપાસના ગામોના લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સેવા કેન્દ્ર માં યોગેશભાઈ વાધડિયા તેમજ કેતનભાઈ કાસુન્દ્રા દ્વારા હાલ સેવા આપવામાં આવશે.




Latest News