મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પુન: ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાશે


SHARE











લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પુન: ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાશે

 લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફરી એક વખત ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં અબોલ પક્ષીઓની સેવામાં ફરી એક વખત લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા મહા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી તા.૧૩-૪ ને રવિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યાં સુધી નરસંગ ટેકરી મંદિર ચોક રવાપર રોડ, મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે.

જેમાં ચકલીનાં માળા તથા માટીનાં પાણી કે ચણ માટેનાં કુંડાનું ફ્રી વિતરણ કરવામાં આવશે.જયારે ચકલીના ચણ માટે ઓટો બર્ડ ફીડર,
ચકલી માટે માટીનાં ડેકોરેટીવ માળા, સાકળ વાળા કુંડા, કુંડાનાં સ્ટેન્ડ તેમજ મોરબી પાંજરાપોળ માટે દાનપેટી રાહતદરે આપવામાં આવશે.રાહત ભાવે આપવામાં આવતી તમામ રકમ દાન પેટીમાં જ નાખવાની છે.જેનો ઉપયોગ આવા જ અન્ય સેવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.વધુ નિગત માટે મો.૮૩૪૮૨ ૧૨૩૪૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News