મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાના મોતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

વાંકાનેરના પંચાસર રોડ ઉપર ધરમનગરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ  સહિત ત્રણ સામે દીકરીને મળવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા ગામના રહેવાસી અરજણભાઈ માંડાભાઈ ભરડા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા રહે. બંને મૂળ દુધાળા ગીર તાલુકો માળીયા હાટીના હાલ રહે વાંકાનેર અને સંજયભાઈ રાણાભાઇ રાઠોડ રહે. ખેર ગામ તાલુકો માળીયા હાટીના વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓની દીકરી જસવંતીબેનને આરોપીઓએ કોઈ પણ કારણોસર શારીરિક દુઃખ ત્રાસ આપી મળવા મજબૂર કરી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીએ પોતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી દીકરીએ કરેલા આપઘાતના બનાવ સંદર્ભે પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફરિયાદીના જમાઈ અને તેના ભાઈ તેમજ બનેવીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News