ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજનીની પોલીસે કરી ધરપકડ


SHARE











મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજનીની પોલીસે કરી ધરપકડ

મોરબી શહેર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ એક હત્યાનો બનાવ સામે આવેલ છે ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીક યુવાને ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો અને આ યુવાનને છાતીના ડાબા ભાગે છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવમાં મૃતકના કાકાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી લીધેલ છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતો નવઘણ હરેશભાઈ અજાણા નામના ૩૫ વર્ષીય યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.પંચાસર રોડ મોરબી વાળાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને મૃતક નવઘણે ગાળ આપવાની ના પાડતાં મોહસીન ઉર્ફે ગજની પિંજારો ઉશ્કેરાઇ ગયો હતો અને નવઘણને જાનથી મારી નાંખવાના ઇરાદે છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે નવઘણના છાતીના ડાબા ભાગે એક ઊંડો જીવલેણ ઘા મારી દીધો હતો જેથી ઇજાગ્રસ્ત નવઘણને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના કાકા મનુભાઈ અજાણાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના આધારે તપસ કરીને પોલીસે હાલમાં નવઘણની હત્યા કરનારા મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે. મોરબી પંચાસર રોડ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મોહસીન ઉર્ફે ગજની ઉપર શરીર સબંધી અને અન્ય કુલ મળીને નવ જેટલા ગુના નોંધાયેલા છે અને અત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર નવઘણ નામના યુવાનની હત્યા કરવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા છએક માસમાં મર્ડરના અનેક  બનાવો બન્યા છે. જેમાં મમુ દાઢી હત્યા, પાલીકાના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ અગ્રણી ફારૂકભાઇ અને તેમના દિકરાની હત્યા, જોગડ ગામે ઢોર ચરાવવા બાબતે ડબલ મર્ડર, કાંતીનગર વિસ્તારમાં મહિલા બુટલેગર દ્વારા પ્રેમી સાથે મળીને પતિનું મર્ડર, રામઘાટ પાસે બહેનના પૂર્વ પ્રેમીની છરીના ઘા ઝીંકીને કરાયેલી હત્યાહળવદના પંચમુખી ઢોરામાં વિસ્તારમાં લાકડી ફટકારીને આધેડની હત્યા, વેણાસર ગામે યુવાન ઉપર કાર ચડાવીને કરવામાં આવેલી નિર્મમ હત્યા સહિત અનેક મર્ડરો થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મર્ડર થયા છે જેથી મોરબીમાં હત્યાના બનાવ પણ રોજિંદા બની ગયા છે તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ "ગેંગ ઓફ વાસેપુર" અને "ગેંગ ઓફ મિરજાપુર" માં જેમ ફિલ્મમાં ધડોધડ મર્ડરના સીન દર્શાવવામાં આવતા હોય છે તેવો જ ઘાટ મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે ત્યારે મોરબીવાસીઓ કહેતા હોય છે કે, આતો મોરબી છે કે મિર્જાપુર..? ત્યારે હત્યાના બનાવોને રોકવા માટે અને ક્રાઇમને ઘટાડવા માટે ગૃહ વિભાગ દ્વારા મોરબીમાં "કડક અધિકારી" મૂકવામાં આવે તેવી પ્રબુધ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે






Latest News