મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ


SHARE











માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મેઘપર ગામે બાવળની કાંટમાંથી એક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી હતી જેથી ગ્રામજનો દ્વારા જાણ થતાં સરપંચે માળીયા પોલીસને જાણ કરી હતી પોલીસે સેવાભાવી સંસ્થાઓની મહિલાઓને સાથે રાખીને બાળકીને સારવાર માટે મોરબી સિવિલે ખસેડી હતી અહીં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીને જાણ કરીને બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

માળિયાના મેઘપર ગામ બાવળમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી જેથી ગામના સરપંચે બનાવની જાણ કરતા માળીયા પોલીસ સ્ટાફ  સ્થળે દોડી ગયો હતો અને સમાજસેવી સંસ્થાની બહેનોની મદદથી નવજાત બાળકીને સારવાર માટે ત્યાંના પીએચસી ખાતે અને બાદમાં મોરબી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.

બનાવને પગલે માળીયા મીંયાણા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા તથા સ્ટાફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને અહીં સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણાને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને રંજનબેન મકવાણા તેમજ સમાજ સેવી સંસ્થાની બહેનો અને પોલીસ દ્વારા મોરબી ખાતેથી વધુ સારવાર અર્થે બાળકીને હાલ રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ત્યાં બાળકીનું મેડીકલ ચેકઅપ કરાશે અને જો તેની હાલત યોગ્ય હશે તો તેણીને બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે જોકે અહીં મોરબી જીલ્લામાં આ પ્રકારની સુવિધા જિલ્લો બન્યા બાદ છ વર્ષે પણ ન હોય મળી આવેલ બાળકીને રાજકોટ, સુરેન્દ્રનગર અથવા તો જામનગરના બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે તેવું હાલ સુત્રોમાંથી જાણવા મળેલ છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકો ફીટકાર વર્ષાવી રહ્યા છે તેમજ માળીયા પોલીસે અજાણી મહીલા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.




Latest News