મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો


SHARE











વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો

મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌપ્રથમ કેસ વાંકાનેરમાં નોંધાયેલ છે અને ત્યાર રહેતી મુસ્લિમ મહિલાએ મુંબઈ ખાતે રહેતા તેના પતિ સામે ગેરકાયદે રીતે ત્રણ વખત સોગંદનામાંથી ત્રણ તલાક આપેલ છે જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ખોજાખાના શેરીમાં પિતાના ઘરે રહેતા કેલીન રહીમભાઈ હુદ્દા (36) નામની મહિલા તેના પતિ રહીમભાઈ રફીકભાઈ હુદ્દા રહે. મૂળ સુરેન્દ્રનગર હાલ રહે. સી.એચ.એ.સ.વી. રોડ ખોજા જમાતખાના સામે દહીસર મુંબઈ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદીના લગ્ન દસ વર્ષ પહેલા આરોપી સાથે થયા હતા અને તેમણે સંતાનમાં એક દિકરી છે દરમ્યાન વર્ષ ૨૦૨૪ માં ફરિયાદીએ તેમની ડોક્ટરી પ્રેક્ટિસના નાણા પતિને આપવાનું બંધ કર્યું હતું જેથી કરીને પતિએ ફરિયાદીને એનકેન પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું જેથી કરીને ફરિયાદી તેમના પિતાના ઘરે આવી ગયા હતા અને ઇસ્માઇલી ખોજા સમાજમાં પતિ વિરુદ્ધ મે-૨૦૨૪ માં તલાક લેવા અંગે સમાજની રૂએ મધ્યસ્થી કરવા કેશ કરેલ હતો જે દરમ્યાન તેમના પતિએ ત્રણ વખત અલગ અલગ કુરીયરથી તેમને સોગંદનામું મોકલી ત્રણ તલાક આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ભારત સરકારના નવા કાયદા મુજબ તેના પતિ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કરતાં પોલીસે મહિલાના પતિ સામે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 ની કલમ 4 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News