મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડીને જે તે સમયે જેલ હવાલે કરેલ હતા જે ગુનામાં પકડાયેલ મહિલાની મોરબી સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા મહિલાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની મળી રહેલ માહિતી મુજબ લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેના આધારે મૃતક યુવાનના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફરીયાદ લઈને પોલીસે આરોપી પ્રેમિકા લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન સહિતનાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને અને મેનાઝબેન એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ તેમજ સુપ્રીમ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેશન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા દ્વારા આરોપી લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.






Latest News