મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડીને જે તે સમયે જેલ હવાલે કરેલ હતા જે ગુનામાં પકડાયેલ મહિલાની મોરબી સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા મહિલાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની મળી રહેલ માહિતી મુજબ લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેના આધારે મૃતક યુવાનના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફરીયાદ લઈને પોલીસે આરોપી પ્રેમિકા લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન સહિતનાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને અને મેનાઝબેન એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ તેમજ સુપ્રીમ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેશન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા દ્વારા આરોપી લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.






Latest News