મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

થાનમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થવાની ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં: મોહનભાઇ કુંડારીયા


SHARE







સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીનો જથ્થો વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો તે ગોડાઉનમાં આગ લાગી હતી જેથી કરીને 25,600 ગુણી જેટલી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં તેવું નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા જણાવ્યું છે જોકે આ ઘટનામાં સત્ય બહાર આવે તે માટે થઈને નાફેડ તથા સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે

છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી અને ત્યારબાદ મગફળી જે ગોડાઉનમાં રાખવામાં આવી હોય ત્યાં આગ અકસ્માતની ઘટનાઓ બને તેવી અનેક ઘટનાઓ બની છે અને ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે જે વેરહાઉસની અંદર સીડબ્લ્યુસી દ્વારા મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગી હતી અને આગ લાગવાના લીધે 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે મોરબીમાં રહેતા નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે ગઈકાલે થાનમાં વેરહાઉસ ની અંદર આગ લાગવાની ઘટના બનેલ છે જેમાં 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ મગફળી બળી જવાના કારણે નાફેડને કોઈ નુકસાન થશે નહીં કારણકે 100 ટકા વીમો લેવામાં આવ્યો છે જોકે આગ લાગવાની આ ઘટનામાં સત્ય બહાર આવે અને દોષિતોની સામે પગલાં લેવાય તે માટે તેને નાફેડ અને સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે






Latest News