ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

થાનમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થવાની ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં: મોહનભાઇ કુંડારીયા


SHARE











સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીનો જથ્થો વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો તે ગોડાઉનમાં આગ લાગી હતી જેથી કરીને 25,600 ગુણી જેટલી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં તેવું નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા જણાવ્યું છે જોકે આ ઘટનામાં સત્ય બહાર આવે તે માટે થઈને નાફેડ તથા સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે

છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી અને ત્યારબાદ મગફળી જે ગોડાઉનમાં રાખવામાં આવી હોય ત્યાં આગ અકસ્માતની ઘટનાઓ બને તેવી અનેક ઘટનાઓ બની છે અને ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે જે વેરહાઉસની અંદર સીડબ્લ્યુસી દ્વારા મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગી હતી અને આગ લાગવાના લીધે 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે મોરબીમાં રહેતા નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે ગઈકાલે થાનમાં વેરહાઉસ ની અંદર આગ લાગવાની ઘટના બનેલ છે જેમાં 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ મગફળી બળી જવાના કારણે નાફેડને કોઈ નુકસાન થશે નહીં કારણકે 100 ટકા વીમો લેવામાં આવ્યો છે જોકે આગ લાગવાની આ ઘટનામાં સત્ય બહાર આવે અને દોષિતોની સામે પગલાં લેવાય તે માટે તેને નાફેડ અને સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે






Latest News