મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર મધરાતે તલવાર-છરી વડે હુમલો: ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ


SHARE











વાંકાનેરના તીથવા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર મધરાતે તલવાર-છરી વડે હુમલો: ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામે ધાર વિસ્તારમાં રહેતા યુવાનના મોટાભાઈના ઘરે રહેતા વ્યક્તિ સાથે ગાળા ગાળી કરનારાઓને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી મહિલાઓ સહિતના ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ત્રણ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ તેઓના ઘરે આવ્યા હતા અને વસીમશા અને મહમદશા ક્યાં છે તેવું પૂછ્યું હતું ત્યારે ફરિયાદી યુવાને મને કંઈ ખબર નથી તેવું કહેતા તેના ઉપર તલવાર અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેના બહે, બનેવી અને કાકીને મારમાર્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ધાર વિસ્તારમાં રહેતા આરીફભાઈ દિલાવરશાભાઈ શાહમદાર (24)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માહિરભાઈ, નસીમબેન, કરિશ્માબેન, સુનેહરાબેન, અયુબભાઈ ગામેતી રહે. તમામ ગોંડલ ધાર તાલુકો ગોંડલ અને અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી જણાવ્યું છે કે તેને ઘર પાસે તેના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા અકબરશા સાથે માહિરભાઈ, નસીમબેન, કરિશ્માબેન અને સુનેહરાબેન ગાળા ગાળી કરતા હતા અને ફરિયાદી યુવાન ત્યાં બાજુમાં રહેતો હોય તેણે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તમામ આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને દરવાજો ખટખટવતા ફરિયાદી તેના ઘરની બહાર આવતા તેના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા અને મહમદશા ક્યાં છે તેમ પૂછતા યુવાને કહ્યું હતું કે “મને ખબર નથી” જેથી અયુબભાઈ ગામેતીએ તેના હાથમાં રહેલ તલવાર વડે યુવાનને માથામાં માર મારીને ઇજા કરી હતી તેમજ માહીરભાઈએ તેના હાથમાં રહેલ છરી વડે યુવાનને ડાબા હાથમાં તથા સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી અને અજાણ્યા શખ્સે ધોકા વડે ડાબા હાથના કાંડામાં માર મારીને ઈજા કરી હતી. આટલું જ નહીં ફરિયાદીના બહેનને લાકડીના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ તેના બનાવીને પણ ધોકા વડે તથા ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ફરિયાદી યુવાનો ભાગીને મસ્જિદ તરફ જતા માહિરભાઈ, અયુબભાઈ તથા અજાણ્યા બે શખ્સો તેની પાછળ દોડીને ગયા હતા ત્યારે ફરિયાદીને પકડીને વસીમશા અને મહમદશા ક્યાં છે તે કહી દે નહીંતર જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી અને આ શખ્સો થાર અને ઇકો ગાડી તેમજ સ્કૂટર અને બાઈકમાં આવ્યા હતા અને ફરિયાદીના કાકા કાકી સામે આવતા હોય આરોપીઓએ ફરિયાદીના કાકીને લાકડાનો ધોકો મારીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાન સહિતના ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાની નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News