મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહએ ડી.એસ.જાડેજાએ માનતા પૂરી કરી


SHARE













વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહડી.એસ.જાડેજામાનતા પૂરી કરી

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા)એ તા.૫-૩-૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે “એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી” અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરીને મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ઘરે તા. ૧૬-૨-૨૫ ને રવિવારે રાજકુંવરનો જન્મ થયો છે જેથી તે માનતા પૂરી કરવા માટે જુનપીર બાવાની દરગાહ પર આવ્યા હતા અને ચાદર પોસી કરીને રાજ કુંવરના હકકમાં દુઆઓ માંગી હતી. આ જુનપીર બાવાની દરગાહ પર માનતા પૂરી કરવા આવ્યા હતા ત્યારે મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, ડી.એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, મહમદ હનીફ અને ખીજડીયા ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.






Latest News