મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી વધુ 300 થેલી સિમેન્ટ પથ્થર હાલતમાં મળી !


SHARE













મોરબીમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી વધુ 300 થેલી સિમેન્ટ પથ્થર હાલતમાં મળી !

મોરબી પાલિકાના અધિકારીઓની બેદરકારી કે પછી અન્ય કોઈ કારણોસર સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવેલ ન હોવાથી તે સિમેન્ટ પથ્થર બની ગયેલ હોય તેવી અગાઉ 400 થેલી મળી આવી હતી તેવામાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ગઇકાલે મોરબીના લીલપર રોડે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે પહોચ્યા હતા અને ત્યા એક દુકાન કે જેનું શટર તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યું છે તેમાંથી સિમેન્ટની એક કે બે નહીં પરંતુ વધુ 300 જેટલી થેલીઓ મળી આવેલ છે જેથી કરીને આ સિમેન્ટની થેલિનો વાપરસ કરવાના બદલે તે પથ્થર બની ગયેલ છે તેના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે આકાર પગલાં લેવામાં આવે તેવી માંગ તેઓએ કરેલ છે. અને આટલું જ નહીં જવાબદાર વ્યક્તિની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બાબતે કમિશનર સ્વપ્નિલ ખરે સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, અગાઉ જે સિમેન્ટની થેલીઓ મળી આવી હતી અને હાલમાં જે સિમેન્ટની વણ વપરાયેલ જે થેલીઓ મળી આવલે છે તે બંને માટેની તપાસ કરવામાં આવી રહી છે અને તે તપાસનો રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.






Latest News