મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે રોજગારીની સમસ્યા, પારિવારિક કલેશ વિગેરે દૂર કરવાના નામે દોરાધાગાના ધતિંગ કરનારા શખ્સને વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે પકડ્યો


SHARE











વાંકાનેરના કેરાળા ગામે રોજગારીની સમસ્યા, પારિવારિક કલેશ વિગેરે દૂર કરવાના નામે દોરાધાગાના ધતિંગ કરનારા શખ્સને વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે પકડ્યો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રોજગારીની સમસ્યા તથા પારિવારિક કલેશ દૂર કરવાના નામે ધતિંગ કરવામાં આવતા હતા અને દોરા ધાગા કરવાના નામે પીડિત લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા જેની વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા પોલીસને સાથે રાખીને આ ધતિંગ કરનારા શખ્સને ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી હતી અને ત્યારે દોરા ધાગાના ધતિંગ કરીને રૂપિયા લેનાર શખ્સને રંગે હાથ ઝડપી લેવામાં આવેલ છે અને ત્યારબાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી

મોરબી જીલ્લાના કેરાળા ગામમાં ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી ૧૦ વર્ષથી દોરા-ધાગા, ઈલમના ધતિંગ કરતો હતો જેનો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતિભાઇ પંડ્યા અને તેની ટીમે બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરીના ધતિંગનો પર્દાફાશ કર્યો હતો અને તેને ભોગ બનેલ મહિલા પાસેથી રૂપિયા લઇને તાવીજ કરી આપી હતી ત્યારે રંગેહાથે ઝડપી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શખ્સ મુળ અમદાવાદનો રહેવાસી છે અને હાલ વાંકાનેરના કેરાળા ગામે પરિવાર સાથે રહેતો હતો અને કોઇને રોજગારીના પ્રશ્ન હોય, ઘર કંકાસ હોય વિગેરે જેવી સમસ્યા હોય તો જોવાનું કામ કરીને તેને દોર ધાગા કરીને તેની પાસેથી યેન કેન પ્રકારે રૂપિયા પણ પડાવતો હતો અને દર ગુરુવારે તે પોતાના ઘરે જોવાનુ કામ કરીને ધતિંગ કરતો હતો આ શખ્સ પતિ-પત્નીના ઝઘડામાં ફોટા ઉપર વિધી-વિધાન કરી આપતો હતો, માનસિક બિમારનો ઉપચાર કરી, ઘરના લોકોના નામ આપી વૈમનસ્ય કરાવતો હતો અને તાવીજ, દોરા આપીને ૧૧૦૦ જેવી રકમ પડાવતો હતો આટલુ જ નહી પિડીત વ્યક્તિના મોબાઈલ ઉપર એક કે બે વખત નહી પરંતુ ૪૦૦ વાર વાત કરી સલાહ-સૂચન આપ્યા હતા અને પિડિતના ઘરે જઇને ૧૫ વખત મહેમાનગતિ માણી હતી જો કે, વિજ્ઞાન જાથાની ટીમે રેડ કર્યા બાદ આ શખ્સે ધતિંગલીલા બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ શખ્સને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ખાતે લઇને આવ્યા હતા






Latest News