મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી મહેન્દ્રનગર ચોકડીએ નવો પુલ વહેલા બનાવો અને વૈકલ્પિક રસ્તો રીપેર કરો: આપ


SHARE













મોરબી મહેન્દ્રનગર ચોકડીએ નવો પુલ વહેલા બનાવો અને વૈકલ્પિક રસ્તો રીપેર કરો: આપ

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે બનતો બ્રીજ ગોકળ ગતિએ બની રહ્યો છે અને હાલમાં ત્યાં જે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે અતિશય બિસ્માર છે જેથી તેને રીપેર કરવામાં આવે અને પુલનું કામ ઝડપથી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

મોરબી શહેરમાં દિવસેને દિવસે  ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. અને ખાસ કરીને મહેન્દ્રનગર ચોકડીનો ખુબ વિકાસ થયેલ છે જેથી તે ટ્રાફિકનું હબ બની ગયેલ છે ત્યાંથી પીપળી રોડ પર આવેલા સીરામીકની ફેક્ટરીએ જવા માટે અને હળવદ તેમજ કચ્છ તરફ જવા માટેના જુદાજુદા રસ્તા નીકળે છે માટે ત્યાં વહાનની અવર જવર ખુબ જ રહે છે ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલા માટે ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે જો કે, પુલનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને ત્યાં બનાવવામાં આવેલા વૈકલ્પિક રસ્તા પણ બિસ્માર છે જેથી જીવલેણ અકસ્માત થાય તેવી શ્ક્યતા છે જેથી કરીને મોરબી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને પુલ વહેલી તકે બનાવા માટેની અને રસ્તાઓને રીપેર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.






Latest News