મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE











મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી બી. ડીવીજન પોસ્ટે વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુના કામના આરોપીને પકડવામાં આવેલ હતો અને મોરબીના વકીલ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને આ ગુનાના કામે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

મોરબી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરીયાદ નોંધાઈ હતી તે ગુનાના કામે આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરાભાઇ જેરામભાઈ બોપલીયાની પોલીસે ધરપકડ કરેલ હતી. ત્યાર બાદ આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરેલ હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. જેમાં આરોપી તરફે  મોરબીના વકીલ દેવ કે. જોષી તથા એસ.ડી. મોંઘરીયા રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં વિદ્વાન વકીલ એસ.ડી. મોંઘારીયા દ્વારા  ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતા તેને ધ્યાને  લઇને હાઈકોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે. આરોપી તરફે વકીલ એસ.ડી. મોંઘરીયા, મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News