મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ


SHARE













મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતાં પતિ-પત્નીને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવેલ હતો જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતા સંજયભાઈ કરસનભાઈ આંત્રેશા જાતે કોળી (૨૧) એ ચિરાગભાઈ સુરેલા, અશોકભાઈ સુરેલા અને અશોકભાઇના શાળા મુન્નાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓને અને તેની પત્ની જ્યોતિબેન સંજયભાઈને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ફરિયાદી સંજયભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે પાણીના નળમાં તેઓએ મોટર મૂકેલી છે તે બાબતે ચિરાગભાઈ સુરેલાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે પગમાં માર માર્યો હતો ત્યારબાદ તેને અશોકભાઈએ પકડી રાખ્યા હતા અને અશોકભાઈના સાળા મુન્નાએ બોલાચાલી કરી ગાળો આપીને ત્રણ વ્યક્તિઓએ તેને અને તેના પત્ની જ્યોતિબેનને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા સંજયભાઈની ફરિયાદ લઈને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણેય આરોપીને પકડવામાં આવેલ છે જેમાં ભરત ઉર્ફે મુનો અવચર સોમાણી (ઉ.૩૫) અશોક બાબુભાઈ સુરેલા (ઉ.૪૦) અને ચીરાગ બાબુ સુરેલા (ઉ.૨૬) રહે. બધા જ ભડીયાદ ૫૫૫ નળીયાના કારખાનાની ઓરડી વાળાનો સમાવેશ થાય છે.






Latest News