મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં, ત્યારે અવસાન પામેલ સ્વજનો તથા અકસ્માતે પણ અવસાન પામેલા સદ્દગતોનાં મોક્ષ અર્થે શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ " મોક્ષ કથા" નું આયોજન કરવામાં આવ્યું છે, તા. 20 થી 27 ડિસેમ્બર દરમ્યાન ભાગવત સપ્તાહ યોજાશે, જેમાં વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી (ઝૂંડાળા વાળા) દ્વારા વ્યાસપીઠ પરથી કથા પાન કરવામાં આવશે, ગઢની રાંગ, નિલકંઠ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં નિત્ય બપોરે એક ટાઈમ 3-30 થી 6-30 દરમ્યાન કથા યોજાશે, આ સપ્તાહમાં પોતાના સ્વજનો માટે ભાગવત પોથીનો પાટલો નોંધાવવા માગતાં સદ્ગ્રહસ્થએ સમિતિનાં સભ્યો નો સંપર્ક કરવા શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા જણાવાયું છે.






Latest News