મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં, ત્યારે અવસાન પામેલ સ્વજનો તથા અકસ્માતે પણ અવસાન પામેલા સદ્દગતોનાં મોક્ષ અર્થે શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ " મોક્ષ કથા" નું આયોજન કરવામાં આવ્યું છે, તા. 20 થી 27 ડિસેમ્બર દરમ્યાન ભાગવત સપ્તાહ યોજાશે, જેમાં વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી (ઝૂંડાળા વાળા) દ્વારા વ્યાસપીઠ પરથી કથા પાન કરવામાં આવશે, ગઢની રાંગ, નિલકંઠ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં નિત્ય બપોરે એક ટાઈમ 3-30 થી 6-30 દરમ્યાન કથા યોજાશે, આ સપ્તાહમાં પોતાના સ્વજનો માટે ભાગવત પોથીનો પાટલો નોંધાવવા માગતાં સદ્ગ્રહસ્થએ સમિતિનાં સભ્યો નો સંપર્ક કરવા શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા જણાવાયું છે.






Latest News