ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયો હતો તેમજ ઘરે સમયસર આવતો ન હતો જેથી તેના પિતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું અને યુવાને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી શેરી નં-3 માં રહેતા ક્રિસ દીપકભાઈ જાદવ (19) નામના યુવાને ગત તા. 26/ના રોજ પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું ગઈકાલે મોડી રાતે મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દીપકભાઈ રામાભાઇ જાદવ (48) રહે. રોયલ પાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવની આગળની તપાસ અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયેલ હતો અને સમયસર ઘરે આવતો ન હતો જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે તે યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેને એસીડ પીધું હતું અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે






Latest News