વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો


SHARE











મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

મોરબી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વનું આયોજન ભરતનગર શાળામાં કરવામાં આવ્યું હતુ ત્યારે પ્રાંતિ અધિકારી સુનિલ પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓએ ઉપરાંત ગામના લોકો સહિતના હાજર રહ્યા હતા તો જુના અમરાપર શાળાની પ્લેટિનમ જયુબિલી ઉજવણી કરવામાં આવી હતી અને શાળાની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કર્મચારી, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દીકરીઓનું સન્માન પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને કર્યું હતું આ તકે શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. વાંકાનેરની જામસર CRC ની પ્રાથમિક શાળાઓ દ્વારા દેશભકિત ઉજાગર થાય તે માટે ગામની જાહેર જગ્યાઓ પર  તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દેશભક્તિ ઉજાગર  માટેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ.  દ્વારા દરેક શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News