વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ તથા હળવદ પ્રખંડ દ્વારા ૨૬ જાન્યુઆરીના દિવસે ભારત માતા પુજન અને આરતી તેમજ સંવિધાન પૂજનના ચાર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વિહીપ બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા સરદાર પટેલની નવા બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રતિમા પાસે, મોરબી પ્રખંડ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમા પાસે, મોરબી જિલ્લા દુર્ગાવાહીનીની દિકરીઓ દ્વારા ચાલતા શકિત સાધના કેન્દ્ર ઉમા ટાઉનશીપમાં દીકરીઓને સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી હતી અને દેશ ભક્તિ ગીત કરાવામાં  આવ્યા હતા. તે ઉપરાંત હળવદ પ્રખંડમા સરા ચોકડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વ.જયંતિભાઈ મનજીભાઈ ધરોડિયા પુત્ર જીતુભાઈ ધરોડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ તકે ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઈ રાવલ, પ્રગનેશભાઈ પટેલ, ભાર્ગવભાઈ ધરોડિયા, મુનાભાઈ હેરમા, સવાલાલ, ભરતસિંહ, સુરૂભા, સમીરભાઈ દેવમુરારી, હડિયલભાઇ, રાહુલ જોબનપુત્રા અને સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.






Latest News