અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરાયા


SHARE





મોરબીની શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરાયા

મોરબીની શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેળવેલ અને ૬૩ વર્ષોથી મોરબીમાં કાર્યરત એવી શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા કાર્યક્રમો આપતી હોય છે.તે અંતર્ગત તાજેતરમાં જ શાળાના સંચાલક મંડળ દ્વારા ફેવરિટ ટીચર્સ એવોર્ડ આપીને શિક્ષકોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેમાં વિદ્યાર્થીઓને પોતાના ફેવરિટ ટીચરને પસંદ કરવાની તક આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓએ પસંદ કરેલ શિક્ષકને ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શાળા દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

ફેવરિટ ટીચર્સને સન્માનવાનો આ કાર્યક્રમ મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર.હાઇસ્કૂલ ખાતે "ફેવરીટ ટીચર" એવોર્ડ કાર્યક્રમ શાળાના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને અને પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઈ કુંડારીયાના મુખ્ય મહેમાન પદે  યોજાયેલ જેમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ લખમણભાઇ કંજારીયા ઉપસ્થિત રહ્યા હતા.ફેવરિટ ટીચર એવોર્ડ વિજેતા શિક્ષક અજયભાઈ ધાંધલ્યાની ફેવરિટ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષક તરીકેની કામગીરીને એવોર્ડ આપી બીરદાવેલ હતી.અજયભાઈ ધાંધલીયાને સન્માનપત્ર, સાલ તથા રૂા.૫૦૦૧ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં સ્વાગત આચાર્ય ભરતભાઈ ગોપાણીએ કરેલ અને આભાર દર્શન બૈજુભાઈ દવેએ કર્યુ હતુ.ભાવિષાબેન અપારનાથીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું.આ પ્રસંગે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી હાજર રહ્યા હતા.




Latest News