મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો


SHARE











મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના કેસમાં પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટએ આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો કરેલ છે.

જેતે  સમયે ફરીયાદ પક્ષના કેસની ટુંકી હકીકત એવી હતી કે આ કામના આરોપીએ પોતાના કબ્જાની ખેતીવાડીના પિયત માટે વાયર વડે ગેરકાયદેસર સીધુ વીજજોડાણ મેળવી વપરાશ કરતા હોય, આરોપીની વાડીમાં તા.૧૮-૧૦-૧૩ ના રોજ પી.જી.વી.સી.એલ ના સ્ટાફે વીજ ચેકીંગ કરતાં આરોપીઓએ ખેતીવાડીના હેતુ માટે ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરી વીજ ચોરી કરતાં પકડાયેલ હોય તેમજ તા.૨૦-૯-૧૨ ના રોજ પણ વીજ ચોરી કરતાં પકડાયેલ હોય આરોપીએ બે વખત વીજ ચોરી કરતા પકડાયેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ પોલીસ સ્ટેશને કરીયાદ આપેલ ત્યારબાદ ફરીયાદીની ફરીયાદ લઈ આરોપી સામે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોક્ત આરોપીની ધરપકડ કરેલી.

આ અંગેનો કેસ અત્રે મોરબીના પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટમાં શરૂ થયેલો. સરકાર પપક્ષેથી આ કામમાં ફરીયાદી ચૌધરી તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારીશ્રીઓને તપાસવામાં આવેલા.આ કામમાં આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચારી કરેલ હોય તેવું બનેલ નથી અને ફરીયાદી તથા સાહેદોની જુબાની લક્ષએ લેતાં એકપણ સાહદ દ્વારા બનાવ સ્થળ આરોપીનાં કબ્જા ભોગવટા કે માલીકીનુ હોવા બાબત કોઈ પુરાવો રજુ કરેલ નથી.

આગપી દ્વારા ગેરકાયદેસર વીજજોડાણ મેળવવામાં આવેલ તે પણ ફરીયાદ પક્ષ સાબીત કરેલ નથી. આમ, ફરીયાદ પક્ષ આરોપીની વાડી કે કબ્જા ભોગવટાની હતી તે બાબત નિ:શંકપણે પુરવાર કરી શકેલ ન હોય જેથી આરોપીને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.તમામ દલીલોને અંતે નામ. સ્પેસ્થલ જજથી મહીડા સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોપી રાજુભાઈ હંસરાજભાઈ પટેલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો.આ કેસના આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયા, જે.ડી.અગેચાણીય, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, આરતી પંચાસરા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.




Latest News