મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો


SHARE











મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના કેસમાં પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટએ આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો કરેલ છે.

જેતે  સમયે ફરીયાદ પક્ષના કેસની ટુંકી હકીકત એવી હતી કે આ કામના આરોપીએ પોતાના કબ્જાની ખેતીવાડીના પિયત માટે વાયર વડે ગેરકાયદેસર સીધુ વીજજોડાણ મેળવી વપરાશ કરતા હોય, આરોપીની વાડીમાં તા.૧૮-૧૦-૧૩ ના રોજ પી.જી.વી.સી.એલ ના સ્ટાફે વીજ ચેકીંગ કરતાં આરોપીઓએ ખેતીવાડીના હેતુ માટે ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરી વીજ ચોરી કરતાં પકડાયેલ હોય તેમજ તા.૨૦-૯-૧૨ ના રોજ પણ વીજ ચોરી કરતાં પકડાયેલ હોય આરોપીએ બે વખત વીજ ચોરી કરતા પકડાયેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ પોલીસ સ્ટેશને કરીયાદ આપેલ ત્યારબાદ ફરીયાદીની ફરીયાદ લઈ આરોપી સામે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોક્ત આરોપીની ધરપકડ કરેલી.

આ અંગેનો કેસ અત્રે મોરબીના પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટમાં શરૂ થયેલો. સરકાર પપક્ષેથી આ કામમાં ફરીયાદી ચૌધરી તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારીશ્રીઓને તપાસવામાં આવેલા.આ કામમાં આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચારી કરેલ હોય તેવું બનેલ નથી અને ફરીયાદી તથા સાહેદોની જુબાની લક્ષએ લેતાં એકપણ સાહદ દ્વારા બનાવ સ્થળ આરોપીનાં કબ્જા ભોગવટા કે માલીકીનુ હોવા બાબત કોઈ પુરાવો રજુ કરેલ નથી.

આગપી દ્વારા ગેરકાયદેસર વીજજોડાણ મેળવવામાં આવેલ તે પણ ફરીયાદ પક્ષ સાબીત કરેલ નથી. આમ, ફરીયાદ પક્ષ આરોપીની વાડી કે કબ્જા ભોગવટાની હતી તે બાબત નિ:શંકપણે પુરવાર કરી શકેલ ન હોય જેથી આરોપીને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.તમામ દલીલોને અંતે નામ. સ્પેસ્થલ જજથી મહીડા સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોપી રાજુભાઈ હંસરાજભાઈ પટેલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો.આ કેસના આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયા, જે.ડી.અગેચાણીય, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, આરતી પંચાસરા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






Latest News