મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ


SHARE











મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવત ગીતા જયંતીની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું અને શાળાના બાળકોને સજનપર ગામના આગેવાનો શ્રી જયકિશનભાઈ ફેફર, રૂગનાથભાઈ ભૂત અને શામજીભાઈ બરાસરા દ્વારા ગીતાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને જાણકારી આપવામાં આવી અને સાથે સાથે તમામ વાલીશ્રીઓને બાળકોના અપાર આઈ.ડી. બનાવવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને એક એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.તેમજ કાર્યક્રમના અંતે તમામ બાળકોને સ્ટીમ ઢોકળાનું ભોજન આપવામાં આવ્યું. ભગવદ્ ગીતા પુસ્તક અને પ્રસાદી સ્વરૂપે સ્ટિમ ઢોકળાના દાતાશ્રી ગૌસેવક ભાઈઓ (લજાઈ) અને સમગ્ર કાર્યક્રમને દિપાવવા ગામમાંથી પધારેલ આગેવાનો તેમજ વાલીશ્રીઓ અને એસએમસી સભ્યો અને અધ્યક્ષ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં જેમનો શાળા પરિવાર આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News