મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી


SHARE











મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે તાજેતરમાં હોટલના જુગાર કાંડમાં પોલીસે મોટો તોડ કર્યો હોવાની માહિતી સામે આવી ત્યાર બાદ પેટકોક ચોરી કૌભાંડ સામે આવ્યું જેથી કરીને પોલીસે બેડામાં મોટી ઊથલ પાથલ કરવામાં આવી હતી તેવી જ રીતે છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

હાલમાં કલેક્ટર દ્વારા જે આધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં નાયબ મામલતદાર પી.એમ.અજાણીની ટંકારા, યુ.એસ.વાળાની વાંકાનેર, પી.બી.ગઢવીની વાંકાનેર, જે.એ.માથકિયાની વાંકાનેર, બી.એસ.પટેલની મોરબી કલેકટર કચેરી, આર.કે.સોલંકીની વાંકાનેર પ્રાંત, પી.એચ.પરમારની ટંકારા, એફ.એન.મોડની હળવદ, જી.વી.પઢીયરની હળવદ પ્રાંત, એમ.એચ. ત્રિવેદીની મોરબી એટીવીટી, આર.જી. હેરમાની વાંકાનેર પ્રાંત, વાય.પી.ગૌસ્વામીની મોરબી ગ્રામ્યમાં બદલી કરેલ છે. જયારે ક્લાર્ક વી.બી.કંઝારીયાની મોરબી ગ્રામ્ય, આર.બી. પટેલની હળવદ, પી.એચ. જાડેજાની મોરબી કલેકટર કચેરી, આર.ડી.અલગોતરની મોરબી કલેકટર કચેરી, આર.બી.બાવરવાની મોરબી પ્રાંતમાં બદલી કરી છે અને મહેસુલી તલાટીમાં એલ.બી.સોઢીયાની જુના નાગડાવાસ, એમ.એમ.જોગરાજિયાની પંચાસિયા સેજો, પી.જી.ઝાલાની વાંકાનેર, એ.પી.જાડેજાની આમરણ સેજો, પી.ડી.જાનીની મોરબી, એમ.જે.સન્યારીની અરણીટીંબા, એમ.સી.ગોહિલની હડમતીયા અને વાય.એસ.ખેરની રાજાવડલા ખાતે બદલી કરી છે.






Latest News