ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર જ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી કરીને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મનિષાબેન સુરેશભાઈ ડાભી (૧૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મનિષાબેનનો લગ્નગાળો ચાર મહિનાનો છે અને સાસુ સસરાથી અલગ રહે છે અને કોઈ સંતાન નથી અને પોલીસ પાસેથી વધુ એવું પણ જાણવા મળ્યું છે કે પરિણીતાના લગ્ન પછી થોડા સમયમાંથી રિસામણે હોય પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરે છે અને આગળની તપાસ ચાલી રહી છે






Latest News