મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીના ઇન્દિરાનગરમાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારની અંદર રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે ઇન્દિરાનગર વિસ્તારની બાજુમાં આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા મહેશભાઇ કાથળભાઈ પરમાર (ઉંમર ૨૬)એ કોઈ કારણોસર ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી અલ્કાબેન ભરતભાઈ છનિયારા નામની ૪૧ વર્ષીય મહિલા પોતાના પતિના બાઈકની પાછળ બેસીને બહારગામ જતા હતા ત્યારે વાંકનેરના ખીજડીયા રાજ પાસે બમ્પમાં બાઇકમાંથી પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા અલ્કાબેનને સારવારમાં ખસેડાયા હતા. જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રૂપાવટી ગામના મનીષભાઈ હરજીભાઈ કણજારીયા નામના ૧૮ વર્ષના યુવાનને પણ બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના આમરણ ગામના રહેવાસી જયસુખભાઇ જેરામભાઈ કાસુન્દ્રા જાતે પટેલ નામના ૫૮ વર્ષીય આધેડ મોરબીમાં શનાળા રોડ મારુતિ શો-રૂમ પાસેથી એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે વળાંકમાં અજાણ્યા કારચાલકે તેમના એક્ટિવાને હડફેટે લેતા જયસુખભાઇ કાસુન્દ્રાને ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની મારુતિ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News