મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં કામ કરતાં યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થતાં સારવારમાં મોત


SHARE











મોરબીના કારખાનામાં કામ કરતાં યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થતાં સારવારમાં મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થવાથી તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે મારુતિ પ્રિન્ટર પેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં રણજીતકુમાર રાજપ્રસાદ (ઉંમર ૨૦) નામના યુવાનને ગત તા.૧-૧૧ ના રોજ કામગીરી દરમિયાન પંચિંગ મશીન ઉપર કામ કરતો હતો ત્યારે અંડકોષ અને ગુદાના ભાગે ઇજાઓ થઇ હતી જેથી કરીને રણજીતકુમાર નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધા સારવારમાં

માળિયા-મિંયાણાના નાના દહીંસરા ગામના રહેવાસી મરિયમબેન અસ્લમભાઈ સુમરા નામની ૬૬ વર્ષીય વૃદ્ધા મોરબી વીસીપરામાં સનરાજ કારખાના પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમનો પગ બાઇકના આરામાં આવી જવાથી ઈજાગ્રસ્ત થયેલા મરીયમબેનને અત્રેની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ રૂષભનગર વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ સુમતચંદ પંડ્યા નામના ૬૦ વર્ષીય બ્રાહ્મણ આધેડ સામાકાંઠે કેસરબાગ પાસેથી પગપાળા જતાં હતા ત્યારે અજાણ્યા ટુ-વ્હીલ ચાલકે તેમને હડફેટે લેતા ગતરાત્રીના અગિયારેક વાગ્યે તેમને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા






Latest News