મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો


SHARE











એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો

મોરબી સહિત ગુજરાતમાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં એસીબીની ટીમ દ્વારા જુદીજુદી સરકારી કચેરીઓમાં સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ નરી વાસ્તવિકતા છે તેવામાં થોડા જ દિવસોમાં એસીબીની ટીમે બીજી સફળ રેડ કરેલ છે થોડા સમય પહેલા ઘૂટું ગામે રેડ કરી હતી ત્યારે તલાટિ અને સરપંચના પતિ લાંચ લેતા પકડાયેલ હતા ત્યાર બાદ આજે મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી છે.

મોરબીમાં એક અરજદારને ખેડૂતનું પ્રમાણ પત્ર જોઈતું હતું તે અરજદાર પાસેથી રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે 4000 ની લાંચ માંગી હતી અને ત્યાર બાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી કરીને એસીબીની ટીમે આજે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ. લાલિવાલાએ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીસા નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શન હેઠળ કરી હતી.






Latest News