મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો


SHARE







એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો

મોરબી સહિત ગુજરાતમાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં એસીબીની ટીમ દ્વારા જુદીજુદી સરકારી કચેરીઓમાં સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ નરી વાસ્તવિકતા છે તેવામાં થોડા જ દિવસોમાં એસીબીની ટીમે બીજી સફળ રેડ કરેલ છે થોડા સમય પહેલા ઘૂટું ગામે રેડ કરી હતી ત્યારે તલાટિ અને સરપંચના પતિ લાંચ લેતા પકડાયેલ હતા ત્યાર બાદ આજે મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી છે.

મોરબીમાં એક અરજદારને ખેડૂતનું પ્રમાણ પત્ર જોઈતું હતું તે અરજદાર પાસેથી રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે 4000 ની લાંચ માંગી હતી અને ત્યાર બાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી કરીને એસીબીની ટીમે આજે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ. લાલિવાલાએ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીસા નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શન હેઠળ કરી હતી.






Latest News