વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું


SHARE











મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ L ગ્રુપથી ઓળખાતા લેવીટો ગ્રેનાઈટો તથા લોરીયાન્સ સિરામિકમાં કામ કરતાં શ્રમિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિકોને ઇપીએફો દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નિધિ આયકે નિકટ 2.0 તથા ઈએસઆઇસી દ્વારા ચાલતા સુવિધા સમાગમ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને સંયુક્તમાં કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃતિ આવે તે માટેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દર મહિને તા. 27 ના રોજ શ્રમિકોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઇપીએફો તરફથી ઈરમબેન શેખ, ઈએસઆઇસી તરફથી સચિનભાઈ જાની, મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા તથા કારખાનાના માલીક જયેશભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.






Latest News