મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક કરવા મુદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક કરવા મુદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી પસાર થતાં યુવાનની સાથે ઓવરટેક કરવા બાબતે ત્રણ શખ્સોએ બોલાચાલી કરી હતી ત્યારબાદ તેને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડીના ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાનને હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં તેણે ત્રણ શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટીની અંદર રહેતા મનીષરંજન કુમાર રમેશપ્રસાદ શાહી (ઉમર ૩૭)એ હાલમાં મોરબીમાં વેજીટેબલ રોડે રહેતા જયદીપ દરબાર, કુલદીપ દરબાર અને રામક્રુષ્ણનગરમાં રહેતા લાલભાઈ દરબારની સામે તેને માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની સાથે ઓવરટેક કરવા બાબતનો ખાર રાખીને જયદીપ, કુલદીપ અને લાલભાઇએ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જયદીપ તેમજ કુલદીપે તેને પકડી રાખ્યા બાદ લાલભાઈ દરબારએ તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેને હાથમાં અને પગમાં ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં મનીષરંજનકુમારની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પોલીસે પાવડીયારી કેનાલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્લાસ્ટિકના બચકાંમાથી ૧૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૨૨૦૦ રૂપિયાની કિંમતના દેશી દારૂના જથ્થાને કબજે કરેલ છે જો કે આરોપી હાજર ન મળેલ હોય તૈયાબ ગુલામમમદભાઈ માણેક જાતે મિયાણા રહે. વીસીપરા મોરબી વાળાની સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News