ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત


SHARE











વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ટ્રેન અકસ્માતની બે ઘટના બની હતી જેમાં એક 35 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો અને બીજા બનાવમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા 55 વર્ષના આધેડનું મોત નીપજયું છે. આ બંને બનાવની રેલ્વે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ સોમવારે ભાવનગર ઓખા લોકલ ટ્રેન લુણસરીયા તથા વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો 35 વર્ષનો યુવાને ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભરી ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ યુવાને જમણા હાથની કલાઈ પર વીંછીનું ચિત્ર ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનને કોઈ ઓળખાતા હોય તો તેઓએ વાંકાનેર રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

આવી જ રીતે બીજી ઘટનામાં દલડી અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે જામનગરથી વડોદરા ઇન્ટરસીટી ટ્રેન જતી હતી ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી અજાણ્યા 55 વર્ષના આધેડ પડી ગયા હતા જેથી કરીને તેમને માથા અને શરીરે ગંભીર ઈજા થવાથી તે આધેડનું મોત નીપજયું હતું અને મૃતક આધેડના નાકની ડાબી બાજુ મશાનું નિશાન છે જેથી આ મૃતક આધેડને ઓળખતા હોય તેમણે વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા ખોડાભાઈ મકવાણાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News