ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર ઝવેરીએ જિલ્લાવાસીઓને દિપાવલીના પર્વ નિમિતે આપી શુભેચ્છાઓ


SHARE







મોરબીના કલેક્ટર ઝવેરીએ જિલ્લાવાસીઓને દિપાવલીના પર્વ નિમિતે આપી શુભેચ્છાઓ

પ્રકાશના પર્વ તરીકે ઉજવાતા દિપાવલીના તહેવારની મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે, દર વર્ષે અનેક તહેવારો આપણા દેશવાસીઓ સૌ સાથે મળીને હર્ષ અને ઉમંગભેર ઉજવે છે. દિવાળીના તહેવારને ઉજાસનો તહેવાર કહેવામાં આવે છે. મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ મોરબી વાસીઓને દીપાવલીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આવતીકાલે વિક્રમ સંવત ૨૦૮૦ પૂર્ણ થશે અને વિક્રમ સવંત ૨૦૮૧ નો પ્રારંભ થશે, ત્યારે જિલ્લાના કલેકટર તરીકે સમગ્ર મોરબી જિલ્લા અને મોરબી શહેરના નગરજનોને આ નૂતન વર્ષની સહૃદય શુભેચ્છાઓ પાઠવું છું. કલેકટરએ સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌનું આવનારું નવું વર્ષ ખૂબ સારું, પ્રગતિમય અને સુખાકારી તેમજ શાંતિવાળું નીવડે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું. સૌ આપણી સંસ્કૃતિ મુજબ પરિવાર સાથે પરંપરાગત રીતે દિવાળીની પર્વની ઉજવણી કરે તો મને વધુ આનંદ થશે.

ભૂતકાળમાં આપણે જેમ દિવાળીના પર્વ પર આપણા વડીલોને મળતા હતા તેમના આશીર્વાદ લેતા અને વેપારીઓ ચોપડા પૂજન લક્ષ્મી પૂજન કરતા હતા. ઉપરાંત આપણા આરાધ્ય દેવની પૂજા કરતા તેમ આપણે સૌ પણ પૂજા અર્ચના કરી વડીલોના આશીર્વાદ મેળવીને દિવાળી મનાવીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવતા વર્ષથી મોરબીમાં જે-જે નાગરિકો મોટરસાઈકલ ચલાવે છે તેઓ ફરજિયાત હેલ્મેટ પહેરે તો લોકોની સુરક્ષા વધે અને અકસ્માત નિવારી શકાશે જેથી મને વધુ આનંદ થશે. પ્રજાજનો જો નીતિ નિયમોનું યોગ્ય પાલન કરશે તો વહીવટી તંત્ર પણ લોકોને તમામ સેવાઓ ખૂબ સારી રીતે પૂરી પાડશે. અંતમાં કલેકટરએ ફરી સૌને આ પ્રકાશના મહાપર્વની હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News