મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા


SHARE











વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિતે યોજાતા પરંપરાગત અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા હતાં અને અને કોરોના કાળ નાં લાંબા સમય બાદ આ અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ભાવવિભોર બન્યા હતાં. 
નૂતન વર્ષના પ્રારંભે Baps સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી હરિભકતોએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ગુરૂ પરંપરાની મૂર્તિ પ્રતિમા સમક્ષ અનેક વિધ મિષ્ટાન્ન, ફરસાણ સહિતની શુધ્ધ વાનગીઓ ધરાવી હતી, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામીએ ભગવાન સમક્ષ ભાવ પુર્વક થાળ ગાન શરૂ કરતાં લાંબા સમય સુધી સુમસામ રહેલ મંદિર ફરી એક વાર ગુંજી ઉઠયું હતું અને હરિભકતો પણ ડોલી ઉઠયા હતાં, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત સ્વામીએ નૂતન વર્ષના પ્રારંભે સૌ હરિભક્તો તન,મન, ધનથી સુખી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, હરિસ્મરણ સ્વામી એ વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી અક્ષર નિવાસી પ્રવીણભાઈ આશરને પણ સંભાર્યા હતાં, છેલ્લે સંતો અને હરિભક્તો હસ્તે આરતી કરવામાં આવી હતી, લાંબા સમય બાદ હરિભકતો એક સાથે એકત્રીત થતાં સૌ કોઈએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, યુવતી મંડળ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.






Latest News