ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા


SHARE











વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિતે યોજાતા પરંપરાગત અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા હતાં અને અને કોરોના કાળ નાં લાંબા સમય બાદ આ અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ભાવવિભોર બન્યા હતાં. 
નૂતન વર્ષના પ્રારંભે Baps સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી હરિભકતોએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ગુરૂ પરંપરાની મૂર્તિ પ્રતિમા સમક્ષ અનેક વિધ મિષ્ટાન્ન, ફરસાણ સહિતની શુધ્ધ વાનગીઓ ધરાવી હતી, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામીએ ભગવાન સમક્ષ ભાવ પુર્વક થાળ ગાન શરૂ કરતાં લાંબા સમય સુધી સુમસામ રહેલ મંદિર ફરી એક વાર ગુંજી ઉઠયું હતું અને હરિભકતો પણ ડોલી ઉઠયા હતાં, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત સ્વામીએ નૂતન વર્ષના પ્રારંભે સૌ હરિભક્તો તન,મન, ધનથી સુખી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, હરિસ્મરણ સ્વામી એ વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી અક્ષર નિવાસી પ્રવીણભાઈ આશરને પણ સંભાર્યા હતાં, છેલ્લે સંતો અને હરિભક્તો હસ્તે આરતી કરવામાં આવી હતી, લાંબા સમય બાદ હરિભકતો એક સાથે એકત્રીત થતાં સૌ કોઈએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, યુવતી મંડળ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.






Latest News