તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં પત્નીને મારવા મજબૂર કરવાના કેસમાં પતિના શરતી જામીન મંજૂર


SHARE











હળવદમાં પત્નીને મારવા મજબૂર કરવાના કેસમાં પતિના શરતી જામીન મંજૂર

હળવદમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના મુખ્ય આરોપી મરણ જનારના પતી મનોજભાઈ વાલજીભાઈ પરમારના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને મોરબીની પ્રિન્સીપાલ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાંથી આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે.

હળવદ પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આ કામના ફરીયાદીની દીકરીને આરોપીઓએ મરણજનારને ચારીત્રય બાબતે ખોટા શક વહેમ રાખી મેણા ટોણા મારી અસહય ખોટી ચડામણી કરી આ કામના અન્ય આરોપીઓ દ્વારા મારજુડ કરી આરોપીઓએ ફરીયાદીની દીકરી મરણજનારને માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં ફરીયાદીની દીકરીએ નર્મદા કેનાલમાં પડીને આપઘાત કર્યો હતો. જે ફરીયાદના આધારે હળવદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી. જેમાં આ કામના મુખ્ય આરોપી મનોજભાઈ વાલજીભાઈ પરમારએ જામીન મેળવવા માટે મોરબીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફત કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. અને વકીલે કરેલ દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને વકીલ દીલીપ આર. અગેચાણીયાની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપ આર. અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.






Latest News