મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે અને કાલે સૂચિતા વ્યાસની જમાવટ: અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા પણ આવશે


SHARE











મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે અને કાલે સૂચિતા વ્યાસની જમાવટ: અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા પણ આવશે

સિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા બહારથી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે ગઇકાલે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં જમાવટ કરી હતી અને આજે તેમજ આવતી કાલે સૂચિતા વ્યાસના સુર સાથે ખેલૈયાઓને ગરબે રમશે.

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે દર વર્ષે આ અર્વાચીન રાસોત્સવમાં નામી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે આ વર્ષના કલાકારોની વાત કરીએ તો ગઇકાલે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં આવ્યો હતો અને તેના સુરે ખેલૈયાઓ ગરબે ઘૂમયા હતા.

હવે આજે અને આવતીકાલે પ્રખ્યાત સિંગર સૂચિતા વ્યાસ ઉમિયા નવરાત્રીમાં આવશે અને તા ૮ ના રોજ અધોરી ગ્રૂપ અને તા ૧૧ ના રોજ પ્રિયા સરૈયાને બોલાવવામાં આવેલ છે અને તેઓના સૂરે મોરબીના ખેલૈયાઓ ઉમિયા નવરાત્રિમાં ગરબે ઘૂમશે. ઉલેખનીય છે કે, ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન મોરબીમાં કરવામાં આવે છે જેથી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવે છે અને માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણે છે.




Latest News