ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા 300 દાતાઓનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા 300 દાતાઓનું કરાયું સન્માન

મોરબીમાં આવેલ બાપસીતા રામ ચોકમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એજમાં લજાઈ ખાતે બની રહેલા ઉમા સંસ્કારધામ (સમાજવાડી)માં અતિથિગૃહ, રંગભવન, આદર્શ લગ્ન હોલ અને ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે છૂટા હાથે દાન આપનારા સમાજના 300 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી તા 13 થી 15 નવેમ્બર દરમ્યાન ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આવ્યો મા નો રૂડો અવસર કાર્યક્રમનું મોરબીના બાપસીતા રામ ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ લોકોની સમક્ષ તેની હાસ્યકલ રજૂ કરી હતી અને લેખક તેમજ વક્તા શૈલેષભાઈ સગપરીયાએ લોકોને પ્રસંગોચિત વાત કરી હતી. આ કાતકે જેરામભાઈ વાંસદડીયા, અરવિંદભાઈ કણસાગરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ઉમા સંસ્કારધામના નિર્માણ કાર્યમાં જે દાતાઓએ સહયોગ આપેલ છે તેવા 300 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય દાતા તરીકે પરસોત્તમભાઈ વરમોરા, જીવરાજભાઈ ફુલતરીયા, લાલજીભાઈ અઘારા, મોરબી ઉમિયા નવરાત્રિ મહોત્સવના રામજીભાઈ કુંડારીયા, પરેશભાઈ મોરડિયા, અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ એલ. પટેલ, સ્વ. અમરશીભાઈ ધનજીભાઈ અઘારા, કરમશીભાઈ વડગાસિયા, ત્રંબકભાઈ ફેફર, નેવિલભાઈ ભાલોડિયા વિગેરેનો સમાવેશ થાય છે.

તો શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફરે સેવાના કામ માટે સમાજ તરફથી ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર અને ઉમા સંસ્કારધામના ચેરમેન એ.કે. પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News