મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીથી જામનગર જવા નીકળેલ યુવાન જુના બસ સ્ટેશનથી ગુમ


SHARE











મોરબીથી જામનગર જવા નીકળેલ યુવાન જુના બસ સ્ટેશનથી ગુમ

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર સિનેમાની ધાર વિસ્તારમાં રહેતો યુવાન મોરબીથી જામનગર જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં શહેરના જુના બસ સ્ટેશન ખાતેથી ગુમ થઈ ગયેલ હોય હાલ યુવાનના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા પોલીસે ગુમ નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે વાકાનેર હાઇવે ઉપર આવેલ કુબેરની ધાર વિસ્તારમાં રહેતા પુનમબેન મુકેશભાઈ અદગામા કોળી (ઉમર 42) નામની મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, તેમના પતિ મુકેશભાઈ છગનભાઈ અદગામા કોળી (48) રહે.કુબેરની ધાર પાસે સામાકાંઠે મોરબી-2 વાળા ગત તા.4-9 ના સવારે દસેક વાગ્યાના અરસામાં ઘરેથી જામનગર જાવ છું તેમ કહીને નીકળ્યા હતા અને જુના બસ સ્ટેશનને આવ્યા હતા.અહીંથી તેઓનો કોઇ અતોપતો મળ્યો ન હતો અને છેલ્લા પાંચ દિવસથી તેઓ ગુમ હોય તપાસ કરવા છતાં પતો ન લાગતાં અંતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા ગુમ થયેલા મુકેશભાઈ અદગામાની ગુમ નોંધ દાખલ કરીને તેમને શોધવા આગળના ચક્રો ગતિમાન કર્યા છે.

આધેડ સારવારમાં

ટંકારાના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ ઈબ્રાહીમભાઇ મલેક નામના 50 વર્ષના આધેડ કોઈ અજાણી દવા અજાણી માત્રામાં પી જતા તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રામદાસભાઈ કેવટ નામના 34 વર્ષીય યુવાનને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યો હતો.




Latest News