મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આરએસએસ, માટેલ મંદિર, GNRF અને લાયન્સ ક્લબ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું


SHARE











મોરબી જીલ્લામાં આરએસએસ, માટેલ મંદિર, GNRF અને લાયન્સ ક્લબ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું

વાંકાનેર તાલુકાનાં માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે કલેટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ તમામ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવું વિશાલભાઈ દુધરેજીયાએ યાદીમા જણાવેલ છે. તો મોરબીના માતૃ શ્રી વિરબાઈ માઁ માનવ સેવા તથા ગૌ સેવા ગ્રુપ દ્વારા અલ્પાબેન કક્કડ અને ગ્રુપના મેમ્બર જયશ્રીબેન વાઘેલા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાડવા-ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કોઈએ કંઈ પણ સહયોગ આપવો હોય તો અલ્પાબેન કક્કડ (90231 04446) નો કોન્ટેક્ટ કરવો તેમ યાદીમાં જણાવાયું છે.

મોરબી તાલુકાના છેવટના અસરગ્રસ્ત ગામ ચીખલી, સુલતાનપુર, માણાબા, ખીરઈ, સદુરકા જેવા અન્ય ગામો જે સંપર્ક વિહોણા છે એવા ગામમાં અને ભારેથી  અતિભારે વરસાદને કારણે હાઇવે બંધ કર્યો હતો ત્યારે હાઇવેમાં ફસાયેલ ટ્રાન્સપોર્ટ ટ્રક શ્રમયોગી માટે મોરબી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  દ્વારા સેવાકીય કાર્યમાં 800 થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરો અને બાળકોને ગરમાં ગરમ નાસ્તો કરાવવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટ વાઈશ ડિસટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, મંત્રી ટી.સી. ફૂલતરીયા, ખજાનચી મણીલાલ કાવર તેમજ દરેક લાયન્સ મેમ્બરે હાજર રહ્યા હતા

મોરબી જિલ્લાના માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં  ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં ઘેરાયેલા છે. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા તરત જ રાહતના પગલાં લેવામાં આવ્યા છે. અને જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ માટે GNRF ની ટીમે માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં પહોચી હતી અને ત્યાં ફસાયેલા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું આ કામગીરીમાં GNRFના વોલન્ટિયર્સનો મહત્વનો ફાળો રહ્યો છે.






Latest News