મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા


SHARE











હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા

મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં નેશનલ અને સ્ટેટ હાઇવેના રસ્તા બંધ થયા છે જેથા કરીને એસટીના રૂટ બંધ કરાયા છે જેથી હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે.

મોરબીથી જામનગર અને મોરબી થી કચ્છ તરફ આવતી જતી બસો સંપૂર્ણ બંધ કરવામાં આવી છે કેમ કે, વરસાદના લીધે ડેમમાંથી પાણી છોડવમાં આવતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી ગયા છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લાની અનેક એસટી બસો બંધ કરવામાં આવી છે અને હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે વધુમાં મોરબીના ડેપો મેનેજર અનિલ પઢીયાર સાથે વાત કરતા તોનો જણાવ્યુ હતુ કે, નેશનલ અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી જવાથી કચ્છ અને જામનગર હાઇવે બંધ કરવામાં આવેલ છે માટે આ બંન્ને સેન્ટર ઉપર જતી બસોને બંધ કરી છે તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરતી બસોને આજે મોકલાવવામાં આવી નથી અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એસટીની જુદા જુદા રૂટ ઉપરની બસો બંધ કરવામાં આવી છે.






Latest News