વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા


SHARE











હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા

મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં નેશનલ અને સ્ટેટ હાઇવેના રસ્તા બંધ થયા છે જેથા કરીને એસટીના રૂટ બંધ કરાયા છે જેથી હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે.

મોરબીથી જામનગર અને મોરબી થી કચ્છ તરફ આવતી જતી બસો સંપૂર્ણ બંધ કરવામાં આવી છે કેમ કે, વરસાદના લીધે ડેમમાંથી પાણી છોડવમાં આવતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી ગયા છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લાની અનેક એસટી બસો બંધ કરવામાં આવી છે અને હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે વધુમાં મોરબીના ડેપો મેનેજર અનિલ પઢીયાર સાથે વાત કરતા તોનો જણાવ્યુ હતુ કે, નેશનલ અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી જવાથી કચ્છ અને જામનગર હાઇવે બંધ કરવામાં આવેલ છે માટે આ બંન્ને સેન્ટર ઉપર જતી બસોને બંધ કરી છે તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરતી બસોને આજે મોકલાવવામાં આવી નથી અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એસટીની જુદા જુદા રૂટ ઉપરની બસો બંધ કરવામાં આવી છે.






Latest News