મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીની મધુસ્મૃતિ-શાંતિવન સોસાયટીને અશાંતધારા હેઠળ સમાવવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીની મધુસ્મૃતિ-શાંતિવન સોસાયટીને અશાંતધારા હેઠળ સમાવવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં શોભેશ્વર મંદિર પાસે આવેલ મધુસ્મૃતિ અને શાંતિવન સોસાયટીના લોકોએ હિન્દુ સંગઠનના આગેવાનોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓની સોસાયટીને અશાંતધારા હેઠળ સમાવવામાં આવે તેવી માંગ કરેલ છે.

હાલમાં બંને સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓની સોસાયટીમાં હિન્દુ ધર્મના 800 લોકોના મકાન આવેલા છે. પરંતુ છેલ્લા બે મહિનાથી અમુક બિલ્ડરોએ સોસાયટીના નિયમ વિરુદ્ધ જઈને અન્ય ધર્મના લોકોને મકાનો વેચી રહ્યા છે. જેથી ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે અને ઘણી વખત ત્યાં રહેતા લોકોને માર મારવાની ધમકી પણ આપવામાં આવે છે જેથી તેઓના વિસ્તારને અશાંતધારામાં સમાવી લેવામાં આવે તેવી માંગ કરી છે. અને બીજા ધર્મના લોકોને બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરો મકાન વેંચી રહ્યા છે તેના ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે હિન્દુ સંગઠનના આગેવાન પુષ્પરાજસિંહ અને આરએસએસના લાલજીભાઇ પુનપરા સહિતના હાજર રહ્યા હતા.






Latest News