મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરમાં મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે આવીને મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ અને તેના પડોશીને દીકરીના પિતાએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢિકાપાટુનો તેમજ લાકડાના બેટ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને હાલમાં તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરા જાતે કોળી (24)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વસિયાણી રહે. લુણસર તાલુકો વાંકાનેર તથા તેની સાથે આવેલા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી સંજયભાઈ સહિતનાઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના પિતાને બોલાવીને કહ્યું હતું કે મારી દીકરીને તમારો દીકરો વિશાલ ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા તેઓની પાડોશમાં રહેતા રવિભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના બેટ વડે ફરિયાદીને ડાબા પગના નળાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફરિયાદી અને સાહેબને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીના નાકા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે અકસ્માતના બનાવમાં જગદીશભાઈ દામોદરભાઈ કટારીયા (67) રહે. મોરબી વાળાને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News